26 જાન્યુઆરીની એ ગોઝારી સવારે
ધડાધડ ટપોટપ મરેલા લોકો,
2 મહિનાનું બાળક ને 22 વર્ષનો યુવાન,
12 વર્ષની બેબી ને 82 વર્ષની દાદી પણ,
કોઈ નાત જાત જોયા વિના,
કુદરતે વરસાવી હતી કહેર,
ને એમ અસંખ્ય જીવો
જીવતા જ દટાઈ ગયેલા ભૂમિ માં.
માનવતા, દેશભક્તિ, એકતા,
દયા, દાન, બધી બાજુ અનુભવાતું હતું,
પછી, ધીમેથી આવ્યા હતા મેસેજ,
અસલ માનવતા વિહોણા ચહેરા
ચડેલા નજરે...
મડદા પરથી ખેંચી ખેંચી ને,
હાથ પગ કાપીને પણ,
લઈ લીધેલા ઘરેણાં,
મોતનો મલાજો
મૂકીને.
વળી, સમયે ઘા રૂઝાવ્યો હતો ત્યાં,
સામે આવેલા કોભાંડો એમના,
ખાઈ પી ગયેલા કાટમાળને
નાસ્તો સમજી.
માનવતા, ધર્મની વાતો કરનારા,
એમાંથી ઉગાર્યા, ઊભા થયા ત્યાં,
ધર્મના નામે ફરી મારવા કાપવામાં
નહોતા પડ્યા પાછા,
ચલાવી સામસામે તલવારો,
પેટના બાળકને, બાયુને ન્હોતી છોડી,
ધર્માંધ છૂરાઓ એ.
ફરી દયા, કરુણા, માનવતા ના રાગ
આલા પેલા....
ફરી તમે એજ કરી
રહ્યા છો દેખાડા,
હજુ પણ એવું જ થવાનું
જોયે રાખો.
રહેવા દયો, સમજી ગઈ છું,
ઓળખી ગઈ છું,
તમારી બધાની દેશભક્તિ
રાષ્ટ્રવાદ, માનવતા, વગેરે વગેરે ને....
27/3/2020
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો