એણે
કુટુંબની
લાગણી સમજીને
સમાજની સડેલી માનસિકતા
સાથે સમાધાન કર્યું.
તેણે
કુટુંબની
પ્રતિષ્ઠા છોડીને
સમાજની સડેલી માનસિકતા
સામે બંડ પોકાર્યું.
એને
કુટુંબે
અબળા સમજી
સંતતિ ઉત્પાદનનું
મશીન સમજી તરછોડી.
તેને
કુટુંબે
કુલદીપક સમજી
વીર્ય-ઉત્પાદકનો
વીર (સ્રોત) સમજી અપનાવ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો