હે વિધર્મીઓ
નાસ્તિકો
દેશદ્રોહીઓ,
તમને કોઈ હક નથી.
કોઈની લાગણી દુભાવવાનો,
અંધશ્રદ્ધા માટે બોલવાનો.
તમારે
બસ ચૂપ રહી તમાશો જોવાનો,
અમારી રોજી રોટી છીનવી ને,
તમે ક્યાં ભવે સુખી થશો બોલો.
આ અબુધ જનતા જો
જ્યોતિષ નહિ જોવડાવે,
ભૂતપ્રેતથી ડરશે નહિ,
વળગાડ કઢાવવા નહિ આવે,
તો અમારું શું થશે બોલો.
કદી વિચાર કર્યો છે ખરો!
આ દેશમાં બેરોજગાર ઓછા છે?
કે તમારે અમનેય બેરોજગાર કરવા છે?
એટલે જુવો,
નાસ્તિકો તમે સાચા જ છો,
રેશનાલિસ્ટ તો અમારેય બનવું જ છે,
પણ ઓલું કહેને, પાપી પેટ કા સવાલ હે,
એવું જ કંઈક છે.
એટલે તમતમારે
વિરોધ કરો વરહ ના વચલા દાડે,
વાંધો નહિ, પણ થોડું અમારુય વિચારીને હો,
બાકી તો 364 દાડા
મીડિયા, છાપા, ને નેતા
બધા અમારા જ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો