સોક્રેટિસ તત્વજ્ઞાન ની વાતો કરતો,
સત્ય અસત્ય સમજાવતો,
નિજ મસ્તીમાં જીવતો,
ટોળાથી અલગ દિશામાં ચાલતો,
નવયુવાનો એની સાથે, આગળ પાછળ ચાલતા.
ટોળાને ન ગમ્યું ત્યારે, ઝેર જીભને ચખાડયું.
આજે સોક્રેટિસ ની વાતો
સ્કૂલની દીવાલો પર
સુવિચારો ના પુસ્તકોમાં
મહાનુભવો ના પ્રવચનોમાં
છાપા મેગેઝિન માં,
ફિલ્મના ડાયલોગમાં
વિશ્વના ખૂણેખૂણે ગુંજે છે.
માર્ટિન લ્યુથર અદનો આદમી,
ચર્ચના પાદરી અને પૉપની
જૂઠી વાતોનો વિરોધ કરતો,
પાપ ધોવાના માફીપત્રોનો પર્દાફાશ કરતો,
લોકોને માફીપત્રોના વ્યાપારનું ગણિત સમજાવતો,
ધર્મના ખોટા રિવાજો, માન્યતાઓ ને જાહેર કરતો,
જીવતાજીવત વિરોધ થયો, મોત એનુય થયું,
પણ, એ અમર થઈ ગયો,
માર્ટિન લ્યુથર નો સંઘર્ષ પુસ્તકોમાં છપાયો,
કવિતા, વાર્તાઓ, નાટકો લખાયા,
એની મૂર્તિઓ બનાવાઈ,
આજે માર્ટિન લ્યુથર વિશ્વમાં જાણીતો
મહાનુભવ બની લોકોના દિલોમાં જીવી રહ્યો છે.
... એટલે આજે બધાથી અલગ વિચારતા,
સત્યના પક્ષે ચાલનારા, એકલા લડનારા,
ધરપત રાખજો....
તમે ટોળાથી અલગ છો,
માનવતાવાદી છો,
ભક્ત નથી,
બસ
તો તમે સાચા જ રસ્તે છો...
8/8/2019
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો