ગુરુવાર, 23 જુલાઈ, 2020

સદીઓ પુરાણો

 એમણે કહ્યું,
'કવિતા લખો !
બીજી એપ્રિલના બંધ પર.'

મેં કહ્યું
શું લખું?
શબ્દો ભાગે છે દૂર,
મન અસ્વસ્થ છે.

પીડિતજનો ધકેલાયા જેલમાં 
અને મારનાર સેના આવી છે ગેલમાં,

ગોળીએ વીંધાયા બાબાના દીકરા.
સત્તા શું મળી મનુવાદીઓને,

ભૂલ્યા છે ભાન ખુરશીના નશામાં.
એ વિદેશી હતા, છે અને રહેશે,
એ જ કરી રહ્યા સાબિત જો.
આંગળીથી નખ રહે વેગળા

એમ આર્યો રહ્યા વેગળા
હજારો વર્ષ પછીય.
રૂપાળા મનુવાદી આર્યોના હાથે
મર્યા દસ અનાર્યો.
તોય સાબિત થઈ દોષિત 
પીડિત અનાર્યો પુરાઈ રહ્યા જેલમાં.

સત્તાપક્ષ, મીડિયા, 
ધર્મના ઠેકેદારો, વિવેચકો 
પહેરીને બેઠા છે કેસરી ચશ્માં.

હવે, સમજાય છે મને,
કર્ણ, એકલવ્ય 
શંબૂક, બલિરાજાના મોતનું રહસ્ય.
કોણ હતા દોષિત
કોણ હતા પીડિત
આ ખેલ સદીઓ પુરાણો છે
ભારતમાં વિદેશીઓ સાથે
જંગે ચડ્યા કાયમ મૂળનિવાસીઓ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સટાક

એક'દિ તુલસીદાસ ને વાંચવા બેઠી એ સ્ત્રીને ચોંકી ઉઠી,  ઢોલ ગવાર શૂદ્ર અપી નારી, સબ તાડન કે અધિકારી. ને પછી તો,  સંસ્કૃત માં પીએચડી કર્યું,...